ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો ધોરાજીના પટેલ યુવાનો હોવાનું પ્રાથમીક માહિતીમાં જાણવા મળ્યું છે. મૃતકોને ભુજની હોસ્પીટલમાં ખસેડાયા છે. મૃતકોમાં મોટાભાગના યુવાનો હતા.
મૃતકો ધોરાજીના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના છે
ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ઈકો કારમાં બેસેલાં લોકોનો સમાવેશ થાય છે. ભુજની હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5.40 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકો રાજકોટના ધોરાજીના હોવાનું જણાવાયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે JCBની મદદ લેવાઈ હતી. મૃતકના પરિવારજનો હાલ હોસ્પિટલ પહોચી ગયા છે.
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ દુઃખની લાગણી વ્યકત કરી હતી
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે આ અકસ્માતમાં તમામ યુવાનો ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના છે.તેઓ ગઈ કાલે સાંજે 9:30 વાગ્યે કચ્છ ફરવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આજે સાંજે 5:30 વાગ્યે અકસ્માત થતા કારમાં સવાર તમામ 9 પટેલ યુવાનોના મોત થયા હતા. આ અકસ્માતમાં 6 પરિવારોએ તેમના એકના એક પુત્રને ગુમાવવાનો વારો આવ્યો.
અકસ્માતમાં મોતને ભેટેલો હાર્દિક બાંભરોલિયા 22મી જાન્યુ.એ પ્રભુતામાં પગલા પાડવાનો હતો
ધોરાજીના મોટા ગુંદાળાના રજનીકાંતભાઇ બાંભરોલિયાનો દિકરો હાર્દિક આવનાર 22 જાન્યુઆરીના રોજ પ્રભુતામાં પગલા માંડવાનો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"