જળ સહિતના સંકટની મોદી સાથે રૂપાણીની ચર્ચા

0
130

નવીદિલ્હી, તા.13

મુખ્યમંત્રી વિજય રૃપાણી સોમવારની બપોરથી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેના બાદ મંગળવારે તેમણે વડાપ્રધાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો રહ્યો હતો. જેમાં પીએમ મોદીએ પણ તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પીએમ મોદી વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ખાસ કરીને સારુ ખાતુ આપવાની માગણી કરી રહેલા પરસોત્તમ સોલંકીને કેબિનેટ પ્રધાન મંડળમાં સમાવવા માટે દબાણ કરી રહેલા કેટલાક ધારાસભ્યોનો અસંતોષ કઈ રીતે ડામવો તેની વ્યુહ રચના ઘડી હોવાનું મનાય છે. સામાન્ય સંજોગોમાં મુખ્યપ્રધાન દિલ્હી કે અન્ય રાજ્યોના પ્રવાસે જતા હોય તે અગાઉ તેની સત્તાવાર જાહેરાત પણ થતી હોય છે. પરંતુ વિજય રૂપાણી સોમવારે આવી કાંઈ જાહેરાત કર્યા વગર જ દિલ્હી પહોંચી ગયા હતા. નજીકના ભવિષ્યમાં ભાજપમાંથી જ બીજા નવા કોઈ પડકારો ઊભા ન થાય તે માટે શું ધ્યાન રાખવું તેની ચર્ચા-વિચારણા કરી હોઈ શકે તેમ ચર્ચાઈ રહ્યુ છે.

રાજ્યમાં બીજી વાર મુખ્યમંત્રી પદભાર સંભાળ્યા બાદ રામનાથ કોવિંદ અને વૈકેયા નાયડુ જેવા મહાનુભાવો સાથે વિજય રૂપાણીની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સંદર્ભે એમણે પરામર્શ કર્યો હતો. પીએમ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૃ થવાનું છે અને 20મીએ બજેટ રજૂ થનારું છે, ત્યારે આ સંદર્ભમાં માર્ગદર્શન મેળવાય તેમ સમજાય છે. મુખ્યમંત્રી મંગળવારે જ ગાંધીનગર પરત ફરશે તેમ જણાવાઈ રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY