સ્નાઇપર રાઇફલથી પીએમ મોદીને ઉડાવી દેવાનો આઈએસનો હતો પ્લાન

0
129

ગાંધીનગર,
તા.૧૦/૫/૨૦૧૮

ગુજરાત એટીએસએ અંકલેશ્વર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી

ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન ATS ના કથિત ઓપરેટિવના મામલામાં તાજેતરમાં જ અંક્લેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કહેવાયું છે કે ATSના સંદિગ્ધ ઓપરેટિવ ઉબેદ મિર્ઝા પીએમ નરેન્દ્ર મોદીને મારવા માગતો હતો અને તેની આ ઈચ્છા એક મેસેજિંગ એપ પર દર્શાવી હતી.

ગુજરાત ATSએ મોબાઇલ ફોન અને પ્રેન ડ્રાઇવથી તેના મેસેજીસ મેળવી લીધા છે. વ્યવસાયે વકીલ મિર્ઝા અને લેબ ટેક્નશિયન કાસિમ સ્તમબેરવલાને ગુજરાત ATSએ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭એ અંક્લેશ્વરથી અરેસ્ટ કર્યા હતા. આ બન્ને સુરતના રહેવાસી છે.

ATSના એક અધિકારીએ કહ્યું કે, ”કાસિમની ધરપકડના ૨૧ દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. તેઓ જમૈકા ભાગવા માંગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દૂલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઇ શકે, કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું”

ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના મિર્ઝાનો સંદેશ મોકલ્યો, પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા માગીશ” જાકે અહીં ‘તેનો’ શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ.

ચાર્જશીટ મુજબ મિર્ઝાને રાત્રે ૧૧ વાગ્યેને ૨૮ મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, ”ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી મારીએ.” એટીએસે જણાવ્યું કે ઘણાં સંદિગ્ધ સાક્ષી બની ગયા જેના કારણે આ ધરપકડ શક્ય બની.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY