મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર સામે સંકટ ઊભુ કરનાર શિવસેનાના બળવાખોર વરિષ્ઠ નેતા એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોનો સુરતમાં ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આ તમામ બળવાખોરો આજે વહેલી સવારે સુરતથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા આસામના ગુવાહાટી પહોંચ્યા હતા. બળવાખોરીનો ૩૫ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો.
ગઈકાલે મળસ્કેથી સુરતથી લા-મેરેડિયન હોટલમાં મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યો રોકાયા હતા જેને પગલે હોટલની આસપાસ જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ બળવાખોરો સુરતથી ગુવાહાટી રવાના થતાં પોલીસ બંદોબસ્ત પરત ખેંચી લેવાયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"