ઉધના નવજીવન સર્કલ પાસે આવેલ એક ટ્રાન્સફોર્મરમાં ગત મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનો બનાવ બ્રિગેડના ચોપડે નોંધાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર,ઉધના ખટોદરા નવજીવન સર્કલ પાસે જીઇબી નો ટ્રાન્સફોર્મર આવેલું છે. આ ટ્રાન્સફોર્મરમાં ગત મોડી રાત્રે એટલે કે આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થઈ હતી. આ બનાવની જાન ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઓફિસર અક્ષય પટેલની ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પાણીના ટેન્કર વડે આગ બુજાવી નાખી હતી. આગ ને કારણે જીઈબીના ટ્રાન્સફોર્મરને સામાન્ય નુકસાન થયું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"