આમોદ ના દલિત આગેવાનો દ્વારા પાટણ ખાતે દલિત આગેવાન ભાનુપ્રસાદ ના આત્મવિલોપન સંદર્ભે મૃતક ને શ્રદ્ધાંજલિ સાથે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત થયો

0
161

પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકરવાદી ભાનુભાઈ વણકર ને થયેલા અન્યાય અને અત્યાચાર બાદ તેમણે આત્મવિલોપન કરી પોતાના શરીરને આગમાં હોમી દીધું હતું. અને તેમનું મુત્યુ થતા દલિત સમાજમાં તીવ્ર આઘાત ની લાગણી જન્મી છે. આજ રોજ આમોદ માં દલિત આગવાનોએ મોટી સંખ્યા મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભેગા થઇ મૃતક ભાનુભાઈ વણકર ના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મોંન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ “દલિતો ઉપર અત્યાચાર બંધ કરો; ડૉ. બાબાસાહેબ આંબેડકર અમર રહો; ના નારા સાથે આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા બાદ આમોદ મામલતદાર એમ.આઈ. મલિકને દલિતોએ આવેદન પત્ર આપ્યું હતું.

આવેદનપત્ર માં જણાવ્યા મૂજબ પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકરવાદી ભાનુભાઈ વણકર દ્વારા તેમની લાંબા સમયથી જમીનની માંગણી કરેલ હતી.અને તેના પૈસાપણ ભરી દીધા હતા. છતાં સરકારની પછાત વિરોધી નીતિને કારણે તેમની જમીનની માંગણી નહીં સંતોષતા કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને લોકોની હાજરીમાં આત્મવિલોપન કરતા સમગ્ર શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી ગુજરાત સરકાર દલિતો અને પછાતવર્ગ માટે બિલકુલ સંવેદનવિહીન અને નિષ્ફળ હોવાથી દલિતો ગુજરાતમાં ભયભીત જીવન જીવતા હોય તેમ લાગી રહ્યું છે.

પાટણના કલેકટર અને પોલીસ ને આ ઘટના ને કારણે નોકરીમાંથી બરતરફ કરી તેમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા રાજ્યપાલને સંબોધિ આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.
વધુમાં આમોદના દલિત આગેવાન મુકેશ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દલિતો પ્રત્યે સંવેદનહિન હોવાનું જણાવી ભાજપ સરકાર દલિતો જોડે વોટબેંક ની રાજનીતિ કરતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY