વ્યાજખોરે વ્યાજના બદલામાં વેપારીની પત્નીનું જાતીય શોષણ કરતા ખળભળાટ

0
140

અમદાવાદ,તા.૨૩
જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા એક વેપારીની પત્નીનું વ્યાજખોરે જાતીય શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત કરી દીધા હોવા છતાંય વ્યાજખોરે વ્યાજની માગણી ચાલુ રાખી વેપારીની પત્ની પર બળાતકર ગુજાર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
જીવરાજ પાર્કમાં રહેતા અને આનંદનગરમાં કાફે ચલાવતાં મીનાબહેન (નામ બદલ્યું છે)એ બિટકોઇન અને વ્યાજનો ધંધો કરતા મનસુખ વડોદરિયા ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધમાં બળાત્કાર અને ગેરકાયદે નાણાં ધીરધારની ફરિયાદ કરી છે. આક્ષેપ પ્રમાણે મનસુખ વડોદરિયા (રહે શ્રીહરિ બંગલો, ઘુમા) મીનાબહેનની દુકાનથી ચા નાસ્તો તેમની ઓફિસે મગાવતા હતા.
ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં મીનાબહેન અને તેમના પતિને દુકાન લેવાની હોવાથી ડાઉન પેમેન્ટ ભરવા માટે મનસુખે સામેથી બે ટકા વ્યાજ પર રૂપિયા આપવાની વાત કરી હતી. વ્યાજે રૂપિયા આપતાં પહેલાં મનસુખે એક શરત મૂકી હતી કે બિટકોઇન વેચીને જે રૂપિયા આંગડિયા પેઢી મારફતે આવે તે મીનાબહેનના નામે મગાવીશ. વ્યાજે રૂપિયા લેવાની લાલચે મીનાબહેને તેમના નામે આંગડિયાથી રૂપિયા મગાવવાનું શરૂ પણ કરી દીધું હતું.
મનસુખની ધમકી બાદ મીનાબહેન તેમની સાથે થયેલા બળાત્કારની વાત પતિને કહી દીધી હતી. તે પછી પતિ-પત્નીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. જ્યા પોલીસે તેમની ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ અરજી લઇને સમાધાનની વાત કરી હતી.
જેના પગલે મીનાબહેન ગઇ કાલે પોલીસ કમિશનર એ.કે.સિંધને મળવા માટે ગયાં હતાં. મીનાબહેનની રજૂઆત સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા હતા અને ખાસ કરીને બિટકોઇન મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY