અંકલેશ્વર:
અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરનું તાળુ તોડીને મંદિરની દાનપેટી માંથી પૈસા ચોરી થવાની ઘટના બની છે. તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલા ઘંટ તેમજ આરતીની થાળી તથા 3 જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ મંદિરનું તાળુ તોડી ચોરીની ઘટના બહાર આવતા સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં પોલીસ આ અંગે ઝીણવટ ભરી તપાસ કરી, વહેલી તકે ચોરીનો ભેદ ઉકેલે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"