અમદાવાદ,તા.૪
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે છે. તેમની સાથેની મુલાકાતમાં તેમણે ભાજપ પર નિશાસા સાંધતા કહ્યુ છે કે ભાજપ પાસે લોકોની જે અપેક્ષા હતી તે પુરી કરવામાં નથી આવી. નોંધની છે કે અશોક ગેહલોતની જગ્યાએ રાજીવ સાતવ હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બન્યા છે.
રાજીવ સાતવે વાતચીત કરતાં જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકાર મુદ્દા ભટકાવવાનું કામ કરી રહ્યાં છે. જે તેમની પાસેથી અપેક્ષા હતી તે પુરી નથી થઇ રહી. વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ભાજપનો ૧૫૦નો ટાર્ગેટ હતો પરંતુ તેમની પાસે ૧૦૦ સીટો પણ આવી નથી. ‘
તેમણે ગુજરાતમાં કોંગ્રેસના વિકાસની વાત કરતાં કહ્યુ કે, ‘પરેશ ધાનાણી અને અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ સારૂ કામ કરશે. ‘ બીજેપી પર નિશાનો સાધતા કહ્યુ કે, ‘બીજેપીની સરકારમાં ખેડૂતો પરેશાન છે. ભાજપે વાયદા કર્યા છે પરંતુ કોઈ પુરા નથી કર્યા.’ તેમણે મેઘા પાટકર અને નર્મદા ડેમ પર કેન્દ્ર સરકાર આ મુદ્દાઓને ભટકાવે છે તેમ પણ કહ્યુ હતું. રાફેલ ડિલ પર પ્રહાર કરતાં તેમણે કહ્યુ કે બીજેપી ક્યારેય રાફેલ ડિલ કે નીરવ મોદી પર વાત નથી કરતાં લોકો સાથે અન્ય મુદ્દાઓ પર વાત કર્યા કરે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"