ઉપરવાસમાંથી ૨૭૦૨ ક્યુસેક પાણીની આવક,નર્મદા બંધની જળ સપાટી ૧૦૫.૨૪ મીટર થઈ, IBPT માંથી પીવા માટે ૩૩૩૧ ક્યુસેક પાણી છોડાય છે જેથી ૨૬ સેમી નો વધારો નોંધાયો છે.
રાજપીપળા:
મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાથી નર્મદા ડેમમાંથી ગુજરાતને મળતો પાણીનો જથ્થો આ વખતે ઓછો મળવાનું કારણ આગળ ધરી નર્મદા ડેમ સિંચાઇ આધારિત ખેડૂતોને આગામી ઉનાળુ પાક ન કરવા ગુજરાત સરકારે સૂચન કર્યું હતું. બાદ ધીમે ધીમે નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. ત્યારે નર્મદા ડેમના ઉપરવાસના એમ.પી.ના ૐકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી ૩૨૨૨ ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં છેલ્લા ૪ દિવસમાં ૨૬ સેમિની વધારો નોંધાયો છે. આવક સામે કુલ ૩૩૩૧ ક્યુસેકની જાવક છે. જે ગુજરાત સરકાર માટે રાહતના સમાચાર છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૦૫.૪૮ મીટર થી વધીને ૧૦૫.૭૪
મીટરે પહોંચી છે. નર્મદા બંધની જળ સપાટીમાં આંશિક વધારો થતા જળસંકટમાં ઘેરાયેલી સરકારને થોડી રાહત થઇ છે. હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય વધઘટ થતા આખા ઉનાળા દરમિયાન પાણીની પોકાર નહિ પડે એમ હાલ પુરતું લાગી રહ્યું છે.
ઉપરવાસના ડેમના પાવરહાઉસોના ટર્બાઈનો ચાલુ કરતા જેમાંથી ૩૨૨૨ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થવાને કારણે પણ સરદાર સરોવરની જળસપાટી વધી હોવાનો ક્યાશ કઢાઈ રહ્યો છે. નર્મદા ડેમની ૩૨૨૨ ક્યુસેકની આવક સામે હાલ IBPT માંથી ૩૩૩૧ ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાં ૧૫ મી માર્ચ પેહલા જે ૮ થી ૯ હજાર ક્યુસેક પાણી છોડાતું હતું તેની જગ્યાએ અત્યારે માત્ર ૨૮૩૯૦ ક્યુસેક ઓછુ છોડાય છે. નર્મદા નદીને જીવંત રાખવા ગોડબોલે ગેટમાંથી ૬૦૩ ક્યુસેક પાણી છોડાય છે. નર્મદા ડેમમાં અત્યારે ડેડસ્ટોકનો ૩૧૧૮ mcm જથ્થો બાકી રહ્યો છે.
રિપોર્ટર – નર્મદા , ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"