સમગ્ર ગુજરાતની જનશક્તિ જળ અભિયાનને ઉજાગર કરવા કામે લાગી છે વિજયભાઇ રૂપાણી

0
69

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોરબંદર જિલ્લાના બગવદર ગામે સુર્ય રન્નાદે મંદિર ખાતે તળાવને ઉંડુ કરવાના શ્રમદાનમાં સહભાગી બની જણાવ્યું કે, સમગ્ર ગુજરાતની જનશક્તિ જળ અભિયાનને ઉજાગર કરવા કામે લાગી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે રાજયમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા આપણી નિયત સાફ છે.પ્રજા સરકારની સાથે છે ત્યારે વિરોધીઓને પાણી વિશે બોલવાનો અધિકાર નથી.
સુજલામ સુફલામ જળ અભિયાન ઇશ્વરીય કાર્ય છે એમ કહી મુખ્યમંત્રીએ રાજયમાં લોકશક્તિએ સરકારના અભિયાનને વધાવી લીધું તે અંગેની ફળશ્રુતી કહી હતી. મુખ્યમંત્રીએ જળઅભિયાનના નક્કર આયોજનની વિગતો આપતા કહ્યું કે પાણી પ્રભુનો પ્રસાદ છે પાણીનો દુકાળભૂતકાળ બનાવવો છે. નવી પેઢીને પાણીની અછતનો સામનો કરવો ન પડે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વરસાદના પાણીના ટીપે ટીપાને બચાવી ગુજરાતને સમૃધ્ધી સાથે પાણીદાર બનાવવું છે.
ગુજરાતમાં અગાઉ કયારેય ન થયું હોય તેવું તળાવો ઉંડા કરવાનું વિરાટ કાર્ય હાથ ધરાયું છે તેનાથી ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણીની સંગ્રહક્ષમતા વધશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. અગામી ચોમાસું સારૂ થશે તેવી આગાહી છે એટલે મેઘરાજાની કૃપાથી જળસંચયના જયાં જયાં કામો થયા છે તે તળાવો પાણીથી છલો છલ થશે. આ કાર્ય પ્રજાના કલ્યાણનું છે અને વિરોધીઓને તેમાં રાજકારણ દેખાય છે.
દોઢ વર્ષમાં સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણીથી ૧૧૫ ડેમ ભરાઇ જશે. જેથી આપણો સૌરાષ્ટ્રનો ખેડૂત વધુ સમૃધ્ધ બનશે. કાળા ઉનાળે સરકારે કચ્છનો ટપ્પર ડેમ ભરી દીધો અને રાજકોટના આજી ડેમમાં પણ નર્મદાના ડેમનું પાણી આવ્યું, સરકાર સતત પ્રજાના કલ્યાણ માટે કાર્યરત છે તેમ કહી રાજયની જળ વ્યવસ્થાપનની બહુઆયામી યોજનાની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં ૧૨૫ થી વધુ જગ્યાએ લોકભાગીદારીથી જળ અભિયાનના કામો ચાલી રહ્યા છે તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી. હજુ એક પણ ગામ આ કાર્યથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. સરકારે તળાવમાંથી માટી કાંપ લઇ જવાની છુટ આપી છે, જમીનને ફળદ્રુપ કરવા જોઇએ તેટલી માટી લઇ જવા મુખ્યમંત્રીએ ખેડુતોને આમંત્રીત કર્યા હતા.
બગવદર ખાતેના જળસંચયના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રૂા. ૩.૪૭ કરોડના ખર્ચે નિર્માણાધિન પોરબંદર નગરપાલિકાના કોર્પેારેટ ભવનના બાંધકામનું ખાતમુહૂર્ત અને કડછ ખાતે રૂા. ૮૨ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ શાબ્દીક સ્વાગત કરી જિલ્લામાં ચાલતા જળસંચયના કામોની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ સુર્ય રન્નાદે મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જિલ્લાની સંસ્થાઓ અને અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવભર્યુસ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં સંત પરમાત્માનંદગીરી બાપુ, સંત ભાનુપ્રકાશસ્વામી, સંત વસંતબાવા, જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, તાલુકા પંચાયત પોરબંદર પ્રમુખ વિરમભાઇ કારાવદરા, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઇ ઓડેદરા, સુદામા ડેરી પોરબંદરના ચેરમેન અરજણ ભુતિયા, તાલુકા પંચાયત રાણાવાવ પ્રમુખ નાનજી કરથીયા, તાલુકા પંચાયત કુતીયાણા પ્રમુખ વાલીબેન ભીમા મોઢા, નગરપાલિકા પોરબંદરના પ્રમુખ ભારતીબેન મોદી, નગરપાલિકા છાંયાના પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, નગરપાલિકા કુતિયાણાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, કલેકટર મુકેશ પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિંયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધાનાણી, પ્રાંત અધિકા કે.વી બાટી, જિલ્લા અગ્રણી સર્વ રમેશભાઇ મુંગરા, મનીષભાઇ જેઠવા, રાજશીભાઇ પરમાર, વિજયભાઇ થાનકી, નીલેષભાઇ ઓડેદરા, અશોકભાઇ મોઢા વિગેરેસહિત મોટી સંખ્યામાં આ વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY