લખનૌ:
ઉત્તર પ્રદેશના ઉનાનો જિલ્લાના બંગારામૌ તાલુકાના કેટલાક ગામડાઓમાંથી 40 લોકોને એચ.આય.વી ચેપ લાગ્યો છે વાસ્તવમાં ઝોલછાપ ડોકટરો તેમને સારવાર આપતા હતા જેમાં તેઓ કથિત ઈન્જેક્શનનો વારંવાર ઉપયોગ કરતા હતા, જેના કારણે લોકોને આ ગંભીર રોગનો ચેપ લાગ્યો હતો. આરોગ્ય વિભાગે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. આપેલ માહિતી મુજબ, ગામોમાં સાઇકલ પર ફરી રૂ.10માં દર્દ દૂર કરવાનું ઈન્જેકશન આપતા હતા. આ ઝોલછાપ ડોકટર લોકોને સારવાર આપતા હતા જેમાં કથિતપણે એક જ ઇન્જેક્શનનો ઉપયોગ કરતા હતા જેથી આશરે 40 લોકો એચ.આય.વી સંક્રમિત થયા છે. લક્ષણોવાળા કેટલાક લોકોએ એચઆઇવી ચેપના લક્ષણો ધરાવતા હતા. આની પુષ્ટિ કરવા માટે કેટલાક પરીક્ષણ કરવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગએ બંગરમાઉ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
બંગરમાઉ કાઉન્સિલર સુનિલે જણાવ્યું હતું કે જો ચોકસાઈ થી પરીક્ષણ કરવામાં આવે તો દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી શકે છે. જોકે ઉત્તરપ્રદેશના આરોગ્ય પ્રધાન સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે જેઓ દોષિત છે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"