ખેડા જિલ્લાસની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રતિક ઉપવાસ, આમરણાંત, ઉપવાસ અને ઘરણા/ભુખ હડતાલ ઉપર બેસવા પર પ્રતિબંધ

0
70

જિલ્લાા માહિતી કચેરી, નડિયાદ
ખેડા જિલ્લાલના નાગરિકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્યાજન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્લાબ સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર તથા દાંડી યાત્રા સાથે સંકળાયેલ મુખ્યથ રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતું અને મનસ્વીથ આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સર્જે છે. જેથી જિલ્લાખમાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુથી જે.કે.રાઠોડ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડિયાદએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલ સત્તાની રૂએ તા.૨૮-૦૩-૨૦૧૮ સુધી કલેક્ટર અને જિલ્લાન મેજીસ્ટ્રેટની કચેરી, નડિયાદ તથા ખેડા જિલ્લાો પંચાયત અને સરદાર ભવન ખાતે આવેલ સરકારની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષક ખેડા-નડિયાદની કચેરી અને તાલુકા ખાતે આવેલ તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી તથા પોલીસ સ્ટેિશનના કમ્પા ઉન્ડસ તેમજ કમ્પાશઉન્ડટની બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તાીરમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત, ઉપવાસ અને ઘરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા/સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર અને લગ્નક અંગેના સરઘસને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંનઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ તેમજ ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડિયાદના એક જાહેરનામા દ્ધારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY