રાજ્ય સરકારે ખેરના વૃક્ષો કાપવા પર ફરમાવ્યો પ્રતિબંધ 

0
99

રાજપીપલા :
નર્મદા જિલ્લા માં ખેરના વૃક્ષો વિપુલ પ્રમાણ માં છે જેથી ગુજરાત ભરમાંથી નર્મદા માં ખેડૂતોનો સંપર્ક કરીને ખેરના વૃક્ષો કાપી વેપારીઓ મોટી માત્ર માં લઇ જઈ રહ્યા હતા. જેને કપાતા આટકાવવા નર્મદા વન સંરક્ષક ડો.શશીકુમારે એક એક્શન પ્લાન તૈયાર કર્યો અને આ કુદરતી સંપત્તિ અટકાવવા રાજ્ય સરકાર માં પણ રિપોર્ટ કર્યો, જેથી રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતમાં  ખેરના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

નર્મદા જિલ્લામાં સૌથી વધુ ખેરના વૃક્ષો તિલકવાડા તાલુકા માં છે અને ગરુડેશ્વર  નાંદોદ માં દેદિયાપાપડા અને સાગબારામાં  પણ થૉડા થોડા છે એટલે અહીંયા વિપુલ પ્રમાણ માં ખેરના વૃક્ષો જોવા મળે છે માટે રાજ્ય ભરના વેપારીઓની નજર નર્મદા પર વધુ રહે છે. જે ખેડૂતોનો સીધો કોન્ટેક્ટ કરી બે ત્રણ ખેડૂતોના વધુ જથ્થા માં ખેરના વૃક્ષો કાપી નાખી બારોબાર લઇ જાય છે ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર ખનન નર્મદા વન વિભાગનો માથાનો દુખાવો બની જતા નાયબ વન સંરક્ષક ડો.કે શશીકુમારે એક્શન પ્લાન તૈયાર કરી આ ખેરના વૃક્ષો કપાતા આટકાવ્યાં અને રાજ્ય સરકાર ને રિપોર્ટ કરતા આવા રિપોર્ટ તમામ જિલ્લા ઓ માંથી આવ્યા એટલે રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાત માં ખેરના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેથી લાકડા ચોરો માં ફફળાટ ફેલાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY