સુરત,તા.૪
સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ મીડિયા પર અંકુશ મુકતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે, પોલીસ અધિકારીની પરવાનગી વગર પોલીસ સ્ટેશનમાં કે ગુનાના સ્થળે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકાશે નહીં.
મીડિયાકર્મી પોલીસ ઇન્સ્પેક્ટરની પરવાનગી વગર પોલીસ સ્ટેશનમાં કે લોકઅપમાં વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકશે નહીં
પરિપત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં એક પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપીની ધરપકડ કરી અને લોકઅપમાં લઈ જતાં હતાં ત્યારે મીડિયાકર્મીએ તે બાબતની વીડિયોગ્રાફી કરી હતી અને આ ઘટના ટી.વી. ચેનલમાં દર્શાવાઈ હતી. આ ઘટનાને લઈને મીડિયાકર્મીઓને પોલીસ સ્ટેશનમાં કે ગુનાના સ્થળ પર કઈ રીતે અને કયા સંજાગોમાં પ્રવેશ આપવો તે અંગે સૂચના આપવામાં આવે છે. હવેથી કોઈ મીડિયાકર્મી પોલીસ ઇન્સ્પેક્ટરની પરવાનગી વગર પોલીસ સ્ટેશનમાં કે લોકઅપમાં વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકશે નહીં. આ ઉપરાંત ગુનાના સ્થળ પર મીડિયાકર્મીઓ પર નિયંત્રણ રહે તે માટે પોલીસની પૂરતી સંખ્યા રખાશે. તેઓ તપાસમાં વિÎન ઊભુ ન કરે તે રીતે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની છૂટછાટ અપાશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રૂપિયા ૧૦૦ કરોડના જમીન કૌભાંડમાં પકડાયેલા હીરા ઉદ્યોગકાર વસંત ગજેરાની પોલીસ સ્ટેશનમાં સ્લેટ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને પરિપત્ર કરાયો હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ માહિતી – પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝ પર મુકેલા અંકુશ બાબતે ખુદ વડાપ્રધાને જ હસ્તક્ષેપ કરી રદ કરાવ્યો, ત્યાં સુરતમાં પોલીસ કમિશનરે નવા અંકુશો લાદતા આશ્ચર્ય સર્જાયું છે. આ પરિપત્રને લઈને મીડિયા જગતમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ અપાઈ રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"