ચાંદોદ થી કેવડિયા બનનારી બ્રોડગેજ રેલવે લાઈન નો તિલકવાડા ના ખેડૂતો દ્વારા વિરોધ

0
78

તિલકવાડા ના 16 જેટલા ગામોના 150 થી વધુ ખેડૂતોની જમીન આ લાઈનમાં જતી હોય ખેડૂતોને વ્યાપક નુકશાન

રાજપીપલા :
સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વના મહત્વના સ્થળ તરીકે સરકાર વિક્સાવતી હોય જ્યા પ્રવાસીઓ માટે સારો રસ્તો અને ટ્રેન સુવિધા હોય તો પ્રવાસીઓ આવે જે હેતુ સર રાજ્ય સરકાર દ્વારા ફોરલેન રોડ તો બનાવાઈ રહ્યો છે પરંતુ હવે ચાંદોદ થી સીધી રેલવે લાઈન કેવડિયા લઇ જવા માંગે છે, જે બાબતે સર્વે થઇ ગયો અને કેવડિયા પોલીસ સ્ટેશન આગળ જંક્શન બનશે આ બાબતે થોડા દિવસ પહેલા સેન્ટ્રલ રેલવે બોર્ડ ના ચેરમેન, એમ.ડી સહીત ટીમ કેવડિયા આવી અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ સમગ્ર તૈયારી થઇ ગઈ છે ત્યારે હવે લાઈનો માટે જમીનો ના સંપાદન  આવતા જેનો વિરોધ થઇ રહ્યો છે. અને તાજેતરમાં આ લાઈન જે ખેડૂતોના ખેતરમાં થી જઈ રહી છે તે ખેડૂતો આ લાઈનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અને પોતાની જમીન સંપાદિત નહિ કરવા પ્રાંત આધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે. જોકે તિલકવાડા ના 16 ગામોના 150 થી વધુ ખેડૂતો ની 400 હેક્ટર જેટલી જમીનો સંપાદિત થાય એમ હોય ખેડૂતો સરકરની નીતિ જોઈ વિરોધ કરી રહ્યો છે. અને આ લાઈનનો વિરોધ કરી આંદોલન ની ચીમકી આપી રહ્યા છે. 

સરકાર માત્ર પ્રવાસન ને ધ્યાન આપે છે સમગ્ર જિલ્લાનો વિકાસ નથી જોતી, કેમકે ચાંદોદ કેવડિયા રેલવે લાઈન નાખવાથી રાજપીપલા બાકાત રહી જશે ખરેખર વર્ષો પહેલા જે ડભોઇ છોટાઉદેપુર લાઈન થઇ જેને રાજપીપલા સાથે જોડાવાની વાત હતી, છોટાઉદેપુરથી છુછાપુરા, તણખલા, કેવડિયા અને રાજપીપલા તો સમગ્ર જિલ્લાનો વિકાસ થાય એટલુંજ નહિ મહારાષ્ટ્ર ના નંદુરબાર થી સાગબારા ડેડીયાપાડા થઈ સીધી રાજપીપલા જોડાઈ આમ આ લાઈન થી નર્મદા જિલ્લાનો વિકાસ થાય પણ આ લાઈન થી ખેડૂતો નો મરો આવશે સરકાર ને લાભ થશે સ્થાનિક બિચારો જમીનો ગુમાવી પાણીના પાઉચ વેચાશે,>>>> બર્કતુલ્લા રાઠોડ (ખેડૂત, મારૂંઢીયા )

ચીફ રિપોર્ટર ,નર્મદા .ભરત શાહ મોં ન .9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY