રાજપીપલા ખાતે 40 થી વધુ વણિકજ્ઞાતિના બાળકોને પરીખ પરિવારે નોટબુકોનું વિતરણ કર્યું 

0
111

રાજપીપલાના અને હાલ વડોદરા સ્થાહી થયેલા મહેશભાઈ અને ભારતીબેન પરીખ નામના દંપતીએ ભણતા બાળકોને નોટબુકો અને ચોપડાનું વિતરણ કર્યું .

રાજપીપલા:

રાજપીપલા દશાખડાયતાની વાડીમાં આજે રવિવારે મૂળ રાજપીપલા ના અને હાલ વડોદરા ખાતે રહેતા મહેશભાઈ ચંપકલાલ પરીખ અને એમના ધર્મપત્ની ભારતીબેન મહેશભાઈ પરીખ દ્વારા એમના વણિક સમાજના ભણતા જરૂરિયાતમંદ બાળકો ને અભ્યાસ માં અગવડ ના પડે તેવા ઉમદા હેતુ થી ધોરણ પ્રમાણે નોટબુકો અને ચોપડા આપી ખુબ સારો અભ્યાસ કરવા આશીર્વચન આપ્યા હતા ત્યારે આજે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં 40 થી વધુ નાના મોટા બાળકોને નોટબુક અને ચોપડાનો લાભ મળ્યો હતો જેમાં સંજયભાઈ પરીખ તેમના પત્ની મૃદુલાબેન અને શિવાનીબેન મહેતા સહીત સમાજના અગ્રણીયો હાજર રહ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY