પાણી મુદ્દે ઔરંગાબાદમાં બે જૂથ વચ્ચે અથડામણ : બે લોકોના મોત

0
75

કલમ્‌ ૧૪૪ લાગુ,૩૦થી૪૦ દુકાનો સળગાવી,ઈન્ટરનેટ સેવા બંધ
ઔરંગાબાદ,તા.૧૨
મહારાષ્ટ્ર્ના ઔરાંગાબાદ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલ ઝપાઝપી બાદ તણાવનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે બે જૂથ વચ્ચે નળના કનેકશન તોડવાનો લઇને શરૂ થયેલા વિવાદ બાદ પથ્થરમારો અને આગચંપીની ઘટના બની છે, ત્યારબાદ ઉપજેલા તણાવની વચ્ચે કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ હિંસામાં બે લોકોના મોત થયું છે અને આશરે ૩૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઉપાયુક્ત ગોવર્ધન કોલેકર સહિત ૧૦ પોલીસકર્મી સામેલ છે.
ડીસીપી (ઝોન-વન) વિનાયક ઢાકને જણાવ્યું કે અમારા દ્વારા પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસવાળાઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તણાવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં કલમ-૧૪૪ લાગૂ કરાઇ છે. ઉપદ્રવીઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મહારાષ્ટ્ર્ના ગૃહ રાજ્યમંત્રી દીપક કેસરકરે હિંસક ઝપાઝપીમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે સામાન્ય લોકોન અપીલ કરી છે કે તેઓ અફવા પર ધ્યાન ના આપે.
જાણવા મળી રહ્યુ છે કે ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રે બે જૂથ વચ્ચે નળનું કનેકશન તોડવાના મુદ્દાને લઇ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદના થોડા સમય બાદ જિલ્લામાં તણાવ વધ્યો હતો અને બંને સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમ્યાન ભીડમાં સામેલ કેટલાંક ઉપદ્રવીઓએ રસ્તા પરના વાહનોમાં તોડફોડ કરી તેમાં આગ લગાવી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ જિલ્લાના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર ગોવર્ધન કોલેકર ભારે પોલીસ બળ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, ત્યારબાદ ભીડને નિયંત્રિત કરવા માટે ટિયર ગેસના સેલ છોડાયા હતા. તે દરમ્યાન આ કાર્યવાહીનો વિરોધ કરતાં ભીડમાં સામેલ કેટલાંય યુવકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઝપાઝપીમાં આસિસ્ટન્ટ કમિશ્નર ગોવર્ધન કોલેકર, ઇન્સપેક્ટર હેમંત કદમ સહિત ૧૦ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિને જાતા તણાવગ્રસ્ત વિસ્તારોમાં મહારાષ્ટ્ર્ પોલીસના જવાનો સહિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY