પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત બહાર પણ BJP સરકાર વિરુદ્ધ પ્રચાર કરી રહ્યો છે. હાલમાં તે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યો છે, જે અંતર્ગત શુક્રવારના રોજ મહારાષ્ટ્રના અકોલામાં હાર્દિક પટેલે ખેડૂતોના અધિકારો અને બેરોજગારીના મુદ્દે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી અને આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આખા વિદર્ભમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો નારાજ છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડ-વિદર્ભના ખેડૂતો ખૂબ જ દુખી છે. BJP સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"