ભરૂચ:
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન રાજસ્થાનના કોટા ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઇનોવા ગાડીમાં ગયા હતા. દરમિયાન ચિતોડ-કોટા હાઇવે પર તેમની ગાડી ને માર્ગ અકસ્માત નડ્યો હતો. જ્યારે ગાડીમાં સવાર જશોદાબેનને નાની-મોટી ઇજા થઇ હતી અને તેમની સાથે ગયેલ વસંતભાઈ મોદી નામના વ્યક્તિને અકસ્માત દરમિયાન ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત થયેલ છે, સાથે જ જશોદાબેન ને વધુ સારવાર અર્થે રાજસ્થાનના ઉદયપુર ખાતે મહારાજા ભગતસિંહ જનરલ હોસ્પીટલમાં ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં છે તેવી માહિતી મળી રહી છે. SHO અશોકજી હાથીપોલ થાણા તરફથી.
ધનંજય ઝવેરી: 9978406257
પ્રજ્ઞેશ પાટણવાડીયા : 7405262201
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"