અમદાવાદ,
તા.૨૯/૦૩/૨૦૧૮
અમદાવાદમાં નરોડા હાંસોલ રોડ઼ પર સાઈટ પરથી પટકાતા ૨ શ્રમિકોના મોત થયા હતા.
બુધવારની મોડી રાત્રે આ બનાવ બનવા પામ્યો હતો. જેમાં બે શ્રમિકો છઠ્ઠા માળેથી પટકાયા હતા.
અમદાવાદમાં નરોડા હાંસોલ રોડ પર ચાલતી આશિષ ડિવાઈન નામની કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં મજૂરો મોડીરાતે છઠ્ઠા માળથી પટકાયા હતા.
તેમના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આ બનાવમાં પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"