પાલિકાના સફાઈ કામદારો નિયમિત સફાઈ કરતા હોવા છતાં ત્યાં ફરવા કે ચાલવા આવતા લોકો થકી ફેંકાતા કચરાની સફાઈ કરાઈ
રાજપીપળા: રાજપીપળા શહેર ની કરજણ નદી પર આવેલા સરકારી ઓવારે રોજ સવાર સાંજ ફરવા કે ચાલવા આવતા જતા લોકો પૈકી અમુક વૃધો કે બાળકો ત્યાં મુકેલા બાંકડા પર બેસી થાક ઉતારતા હોય છે પરંતુ ત્યાં આસપાસ લોકો દ્વારાજ ફેંકાયેલા કચરા ના કારણે થતી ગંદકી જોઈ સિનિયર સિટિજનો એ જાતે સફાઈ કરી હતી જોકે નિયમિત પાલિકાના સફાઈ કામદારો દ્વારા ત્યાં સફાઈ થાય છે છતાં આખા દિવસ દરમિયાન થતી ગંદકી જોઈ સ્વછતા માટે પાલિકા ના સહયોગથી સિનિયર સિટિજનો એ જાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું ત્યારે પોતાના શહેર ની સ્વછતા આપણા હાથ ની વાત છે માટે કચરો ગમે ત્યાં ન નાખી યોગ્ય જગ્યા એ નંખાય અને સમયાંતરે આપણી શેરી,મહોલ્લો કે ગામ સ્વચ્છ રહે તો આપણેજ નિરોગી રહીશું એમ માનનારા કેટલાક સેવાભાવી ગ્રામજનો પૈકી સિનિયર સિટિજનો એ આજે આ સ્વછતા અભિયાન નું બીડું ઝડપ્યું હતું .
- ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"