તંત્રને બોર્ડ એકઝામનું ‘વિગ્ન’ નડ્યું વસ્ત્રાપુર તળાવથી બ્રિજ સુધીના ડિમોલિશનને કામચલાઉ બ્રેક

0
126

અમદાવાદ,
તા.૧૩/૦૩/૨૦૧૮

નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના અસમતોલ પહોળાઇ ધરાવતા આશરે ૪૦૦ મીટર હયાત રસ્તાને એકસરખો ૭૦ ફૂટ પહોળો કરવાની તંત્રની કામગીરીમાં હવે શરૂ થયેલી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ એકઝામનું ‘વિગ્ન’ નડ્યું છે.

વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના હયાત રોડનો મામલો કોર્પોરેશનમાં લાંબા સમયથી ગાજી રહ્યો છે. આ અસમતોલ પહોળાઇ ધરાવતા રોડને એકસરખો સમાંતર કરવાની દરખાસ્ત છેક ગયા નવેમ્બર ર૦૧૬માં સ્ટેન્ડંગ કમિટી સમક્ષ મુકાઇ હતી. અત્યારે હયાત રોડ રપથી ૩૦ ફૂટ જેટલો હોઇ અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થતિ સર્જાય છે.

અંધજનમંડળ ચાર રસ્તા પર કરોડોના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સ્થતિ સુધરવાના બદલે આઇઆઇએમબ્રિજના છેડા પર વધુ વણસી છે. પરિણામે આઇઆઇએમ બ્રિજના છેડાથી વસ્ત્રાપુર તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કવાયત સવા-દોઢ વર્ષ અગાઉથી હાથ ધરાઇ હતી.

તે વખતે હયાત રોડને ૩૬ મીટર એટલે કે ૧ર૦ ફૂટ પહોળો કરવાની દરખાસ્ત મુકાઇ હતી, કેમ કે વર્ષ ર૦૧રના રિવાઇઝડ ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ રોડને ૧ર૦ ફૂટનો કરવો આવશ્યક હતોઽ જાકે આ આયોજનમાં કોમર્શિયલ અને રહેણાક મિલકતોને વ્યાપક અસર થતી હતી, તેમાં પણ રહેણાકના પ૩ બિલ્ડંગના ર૦૦ ફલેટને જમીનદોસ્ત કરવા પડે તેમ હતા, જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સત્તાધીશો મુંઝાયા હતા. ખુદ ભાજપમાં આ પ્રકારની રોડલાઇન કપાતનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

આ મામલે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોને તંત્રે સામૂહિક નોટિસ ફટકારી હતી. પ્રારંભમાં ૩૬ મીટર રોડ લાઇનને મંજૂરી અપાતાં અસરગ્રસ્તોને સત્તાવાળાઓએ વ્યક્તગત નોટિસ પણ આપી હતી, જાકે સ્ટેન્ડંગ કમિટીએ અસરગ્રસ્તોના તમામ વાંધાને ફગાવી દીધા હતા, પરંતુ ૩૬ મીટરની રોડલાઇન સામે જબ્બર વિરોધ થતાં શાસકો પારોઠનાં પગલાં ભરવા વિવશ બન્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY