ભરૂચ:
તાજેતરમાં ગુજરાત સરકારે ૬૭ આઇએએસ અધિકારીઓની બદલી-બઢતી કરતાં નવસારી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતાં રવિ અરોરા ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં તેઓએ આજ રોજ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલમાં જે વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે તે નિરર્ધારિત સમયમાં પૂર્ણ કરવા અને નવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.અને ગુજરાતનો સ્થાપના દિન ૧ લી મે ભરૂચ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નિર્ધારિત થયો છે. જે હેતુસર જિલ્લાના અધિકારીઓની કામગીરી બાબતની બેઠક યોજી હતી.આ બેઠકમાં ૧ લી મે ની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સૌ ભેગા મળીને પાર પાડીએ એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"