ભાવનગર જિલ્લાના શિહોર ખાતે ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ડો. રાજેશ્વરીબેન પાઠક ઝડપાયા

0
72

ભાવનગર;
જીલ્લા પંચાયત-ભાવનગર જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (PNDT) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલ ની સુચના અન્વયે સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસર શિહોર ડો.પી.કે.સિંહની ટીમ ધ્વારા તા.૨૬/૦૩/૨૦૧૮ના રોજ ડીકોય સગર્ભાની મદદથી પી.સી એન્ડ પી.એન.ડી.ટી એકટ અન્વયે પૂજા પ્રસુતિગૃહ અને નર્સિગ હોમ, દાદાની વાવ સામે, ગાયત્રીનગર, શિહોર ખાતે સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
આ સ્ટીંગ ઓપરેશનમાં પૂજા પ્રસુતિગૃહ અને નર્સિગ હોમ, શિહોર ખાતે ડો.રાજેશ્વરીબેન પાઠક-BAMS યોગ્ય લાયકાત ધરાવતા ન હોવા છતાં તેઓ ધ્વારા ડીકોય સગર્ભાની સોનોગ્રાફી કરતા ઝડપાયેલ. આમ, આ સફળ સ્ટીંગ ઓપરેશનના અંતે ડો. પી.કે.સિંહ ધ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટના ભંગ બદલ નામદાર કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ સોનોગ્રાફી મશીન સ્થળ પર સીલ કરવામાં આવેલ છે. જે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી-પીએનડીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય. અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જણાવાયું છે.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY