ભરૂચ:
ભરૂચના કુકરવાડા ગામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીએ હજારો શ્રદ્ધાળુ ઉમટશે. પંચમુખી હનુમાનજી મંદિરના પૂજારી સાથે એક વાતચીતમાં તેમણે મંદિર વિષે માહિતિ આપતા જણાવ્યું કે, સવા પાંચસો વર્ષ પહેલા કુકરવાડાના ગામ લોકોને સ્વપ્ન આવેલ કે ગામના પાદરે ટેકરી પર ખોદકામ કરશો તો હું સ્વયંભૂ પ્રગટીશ પણ હમણાંના ખોદશો એક વર્ષ પછી ખોદજો પણ ગામ લોકોને ધીરજ ન હોઈ એક વર્ષની જગ્યા એ છ માસમાં જ ખોદકામ કરવા ગામની બહાર આવેલ ટેકરી ઉપર ખોદવાનું શરૂ કર્યું ૩ થી ૪ ફૂટ ખોદતા જ એક મોટી શીલા જેવો પથ્થર નીકળ્યો પથ્થરને જોતા તેની પર નાના બાળકોના મુખ જેવા આકારના પાંચ જેટલા આકાર જોવાયા. જેથી ગામ લોકોએ તેને પંચમુખી હનુમાનજીનું નામ આપ્યુ.
આ પંચ મુખી હનુમાનજીની પ્રતિમા જોવા માટે ગામે-ગામથી લોક ટોળા ઉમટ્યા ત્યાં મંદિર સ્થાપવામાં આવ્યું. જયાં દર વર્ષ દિવાળી બાદ નવાવર્ષ બેસતા વર્ષના દિવસે અહી મોટો મેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. પંચમુખી હનુમાનજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. એવી પણ માન્યતા છે કે, પંચમુખી હનુમાનજીના મંદિરે જે લોકો આવે છે અને માનતા કે આખડી રાખે છે. તો એ પુરી થાય છે એક લોકવાયકા એવી પણ છે કે અહીં જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના ઋણ નીચે દબાયેલ હોઈ અને અહી આવી પંચમુખી હનુમાનજીના મંદિરે સાચા હૃદયથી માનતા માને છે, તો એના સર્વે ઋણ ઋણમોચન હનુમાનજી પુરા કરી દે છે અને તેના પર ચડેલ હરેક ઋણને ખતમ કરી દે છે. નર્મદા પુરાણમાં પંચમુખી હનુમાનજીને ઋણ મોચન હનુમાનજીથી પણ ઓળખાય છે. અહીં આજે પણ દરેક કાર્તિકેય પૂનમના દિવસે હનુમંજયંતી નિમિતે મહાપ્રસાદી અને ભજન કરતાંનું આયોજન કરવામા આવે છે. આજે પણ ભરૂચ શહેર જીલ્લામાંથી અને આખા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી ભગવાન ઋણમોચન હનુમાનજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
રિપોર્ટર: પ્રજ્ઞેશ પાટણવાડિયા, ભરૂચ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"