ન્યુ દિલ્હી,
તા.૨૦/૪/૨૦૧૮
કેન્દ્રીય એજન્સીઓએ કહ્યું
પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમો દેશની સુરક્ષા માટે ખતરો બને તેવી શક્્યતા છે. કેન્દ્રીય એજન્સીઓનું કહેવું છે કે રોહિંગ્યા પશ્ચિમ બંગાળ સરકારની જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને તેને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને પ્રોત્સાહન મળે છે. એજન્સીઓનું કહેવું છે કે રોહિંગ્યાની ઓળખ કરવામાં પશ્ચિમ બંગાળની સરકાર ગંભીર દેખાતી નથી. એક ગુપ્તચર અધિકારીનું કહેવું છે કે બાંગ્લાદેશની નજીકના જિલ્લાઓ હરદહા, રઈપુર વિસ્તારમાં ૧૩૦થી વધુ રોહિંગ્યા પરિવારો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. જા કે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એડવાઈઝરી આપીને પ્રત્યાર્પિત કરી શકાય તેવા લોકોની ઓળખ કરવા માટે નિર્દેશ આપ્યા છે. અધિકારીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ પણ પશ્ચિમ બંગાળની સરકાર ભારતીય ક્ષેત્રમાં રોહિંગ્યાઓના ગેરકાયદેસર પ્રવેશ પર નજર રાખવાને લઈને ગંભીર નથી. સરહદ પાર રોહિંગ્યાના કેમ્પ બનવાની બાબતને પણ સુરક્ષા માટે ખતરારૂપ ગણાવવામાં આવી છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે અહીં બનેલે કેમ્પોને કોલકત્તા ખાતેની એક એનજીઓ દેશ બચાવો સામાજિક કમિટી તરફથી મદદ પણ મળી રહી છે. આ એનજીઓનું સંચાલન કોલકત્તાના હુસૈન ગાઝી કરે છે. એનજીઓને કથિતપણે હૈદરાબાદ ખાતેના એક ચેરિટી સંગઠન દ્વારા ફંડિંગ મળી રહું છે. સલામાહ નામના આ સંગઠન તરફથી ગાઝીને ચાર લાખ રૂપિયાની રકમ રોહિંગ્યાને વસાવવા માટે આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓનું આકલન છે કે જિલ્લામાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના નેતા રોહિંગ્યાને ગેરકાયદેસર રીતે વસવાટ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીનો પર આ કેમ્પોનું બનવું ચિંતાની બાબત છે. મહત્વપૂર્ણ છેકે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી રોહિંગ્યાઓની મદદની અપીલ કરીને પોતાના નરમ વલણને ઉજાગર કરી ચુક્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"