રાજસ્થાનના મીનીસ્ટર ‘કાલિચરણ સરાફ’ જયપુર માં ખુલ્લેઆમ મુત્ર વિસર્જન કરતા ઝડપાયા

0
204

જયપુર :

રાજસ્થાનનાં ભાજપનાં નેતા એવા કાલિચરણ સરફનો એક ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહ્યો છે જેમાં તે જયપુર ના રોડ પર ગાડી ઉભી રાખી બાજુની દીવાલ પર પેસાબ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનનાં લીરે લીરા ઉડાડતા નેતાં રંગે હાથે મુત્ર વિસર્જન કરતા ઝડપાયા. આઈએએનએસના જણાવ્યા મુજબ, જયારે કાલીચરણ સરફને આ બબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ” આ કોઈ મોટી બાબત નથી.

રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છ ભારત અભિયાનના ચાર્ટમાં શહેરને ટોચ પર લાવવાનું કામ કરી રહ્યું છે, આ રસ્તાઓ પર પેશાબ કરવો ગેરકાયદેસર છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારને રૂ 200 ની દંડ કરવામાં આવે છે.

જ્યારે મીડિયાએ આ મુદ્દે ટિપ્પણી કરવા માટે મંત્રી સમક્ષ પહોંચ્યા ત્યારે, તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે તેમણે કહ્યું હતું કે તે તેના વિશે વાત કરશે નહીં કારણ કે તે એક મહત્વપૂર્ણ મુદ્દો નથી. જ્યારે આઇએએસે સરાફને તેના ફોન પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે સ્વિચ ઓફ હતો.

રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના આઈટી સેલના સેક્રેટરી અને સંયોજક ડેનિશ અબ્રાર દ્વારા ફોટો ટ્વિટ કરવામાં આવી હતી.

રાજસ્થાનનેતાઓ જ આવા કારનામાં કરી ને શરમ નહી અનુભવે તો પછી આમ નાગરિકો પાસે શેની મહત્વાકાંક્ષા રાખી રહ્યા છે. પ્રચાર પ્રસાર માં વ્યસ્ત રહેતા નેતાઓ જો કોઈ વાર નિયમો નું પોતે પાલન કરતા હોય તો જ પ્રજાને કાયદાના પાલન કરવાનું કહે તો વધુ સારું. આમ નાગરિક માટે કાયદો અને નેતા માટે કાયદો એટલે ફાયદો? સત્તા પક્ષના નેતા એટલે બધું જ ચાલે, આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY