ગાંધીનગર,
તા.૧૯/03/2018
નર્મદા ડેમની સપાટીને લઇને સરકારની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. ઉપરવાસમાંથી ૬૪૪૪ કયુસેક આવક થતા નર્મદા ડેમની આવકમાં થોડો વધારો થયો છે. નર્મદા બંધની જળ સપાટી ૧૦૫.૪૮ મીટર પર પહોંચી છે અને કેનાલમાંથી પીવા માટે અપાતા ડેમના ડેડ સ્ટોક સ્થર રાખવાના પ્રયાસ હાથ ધરાશે.
ઉપરવાસમાંથી વધુ પાણી છોડાતા નર્મદા અંગે સરકારની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. હવે ખેડૂતોને પણ પાણી આપવા મામલે સરકાર વિચાર કરી શકશે. જા કે સરકાર કેનાલમાંથી પીવા માટે અપાતા પાણી પર સ્ટોક રાખવા અંગે વિચાર કરી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"