ગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને રૂ. ૬ કરોડની સહાય વિતરણ કરતા મુખ્યમંત્રી

0
109

ગાંધીનગર,
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત હરેક સમાજવર્ગોની આર્થિક-સામાજીક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરી છે. ‘‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’’ એ આ સરકારની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ ધર્મ-જાતિ-કોમવાદથી દૂર રહી રાષ્ટÙવાદ-સમાજ ઉન્નતિના માર્ગે આ લોન-સહાય યુવા વર્ગો માટે નવી દિશા આપનારી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. રૂપાણીએ કÌšં કે, હવેનો સમય વિશ્વ સાથે કદમ મિલાવી પ્રગતિ વિકાસની તેજ રફતારનો છે ત્યારે, સમાજના વંચિત વર્ગોની યુવાશકિત પણ તેની સાથે બરોબરી કરી શકે તેવી સક્ષમ બનાવવા સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, શિક્ષણ જ વિકાસનો આધાર છે તેથી સૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલયો, તાલુકે-તાલુકે વિજ્ઞાનપ્રવાહ સહિતની શાળાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃતિ સહાય આપીને ‘ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ’નો ભાવ સેવ્યો છે. મુખ્યમંત્રીએ કÌšં કે, આ સરકાર યુવાશકિતના કૌશલ્ય વિકાસથી-સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબધ્ધ છે. આ સંદર્ભમાં તેમણે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તહેત રૂ. ૧પ૦૦થી ૩૦૦૦ આપવા હેતુ રૂ. ર૭ર કરોડની ફાળવણીની ભુમિકા આપી હતી. આવા એક લાખ યુવાઓને સહાય અપાશે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY