ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે.. ત્યારે પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પહેલી વખત ઇરીગેશન બાય પાસ ટનલમાંથી 9 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
સરદાર સરોવર નર્મદા ડેમનું લાઈવ સ્ટોરેજ પાણી પૂરું થઈ ગયું છે. અને સરદાર સરોવર નર્મદા ડેમની પૂર્ણ જળ ક્ષમતા 138.67 મીટર કરતા ડેમ 27 મીટર કરતા વધુ ખાલી થઈ ગયો છે… ત્યારે સૌને થશે કે લાઈવ સ્ટોરેજ પાણી પૂર્ણ થઈ ગયું તો ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવા ઇરીગેશન બાય પાસ ટનલ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"