કડવું સત્ય “અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?

0
4584

ઘેર ઘેર
આ હાલત છે..!

આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં
અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે
એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના
ઝાંપા સુધી લાવવી પડે છે .બહુ જ તકલીફ છે આ બધી,લૌકિકવ્યહવાર બંધ થયા અને હવે તો
સ્મશાન જવામાં પણ
જનતાને આળસ ચડે છે..

જયારે ફોન કરે છે
કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે
મધર ગુજરી ગયા છે
અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે,
બેસણું ક્યારનું રાખ્યું છે?

સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો
જમવાની વ્યવસ્થા
કશુ જ નથી દેખાતુ..

સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા
લોકો ભેગા થાય છે,
અને જેવાશબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે
એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં
મૂક્યા પછી બીજી
અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!

સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને?
કોણ આખી રાતના ઉજાગરાવાળાને
અને સ્વજનને
ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

બધું જ સરખું રૂટીન માં
આવે પછી જ
સ્વજનો ઘર છોડતા !

આ બધું જ
ઓછું થતું જાય છે..

આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે
નામશેષઃ થતી જાય છે,
કોઈના સ્વજનના
મૃત્યુની ક્ષણો સાચવવી
એવી ભાવના..!

ગામમાં કોઈ ગુજરી જાય તો
આખું બજાર બંધ થતું
અને
આભડવા જતા..

ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન
સુધી નનામી જતી,

બધું એક સામાજિક
જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય,
ભલે ને ધંધાકીય સબંધ હોય
તો પણ જનતાને
આભડવા જવું તો દૂર રહ્યું
બેસણામાં
જતા જોર આવે છે.jj

હા,

બહુ મોટો માણસ હોય અને એની
આંખની ઓળખાણ હોય તો
ફટાફટ દોડી જાય
કેમકે

ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!

આજે મૃત્યુ અને એના પછીની વિધિ,
એમાં કોણ આવશે,
કેટલા હાજર
રહેશે એનો બહુ મોટો આધાર
મૃતકના સંતાનની
સફળતા ઉપર રહેલો છે..

બહુ ઓછી જગ્યાએ મૃતકના
મોઢાએ જનતા આવે છે.jj

મૃત્યુ એ ઘણા લોકો માટે
શક્તિ પ્રદર્શન છે,

પણ ઘણા બધા માટે,
ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો
માટે ખરેખર હૂંફ લાગણી
સાથે
જોડાયેલો મામલો છે..!

અને,

માણસને માણસની હૂંફની
જરૂર હોય છે,

મને ઘણા અનુભવ છે,

વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને
ક્યારેક આવા પ્રસંગે
ગયા હોઈએ
ત્યારે ખભે માથું મુકીને મૃતકની
દીકરી કે દીકરો રડી પડે છે..

ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે
ફક્ત બે પાંચ મિનીટની
આંખોથી થતી વાત,

અરે!

ખાલી આપણી હાજરી કલેજાને
ઠંડક આપે અને એ દુઃખની
ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.j

ફેસબુક અને વોટ્સ એપની તો
વાત નથી કરતો, એ તો
હવે સર્વવિદિત હકીકત છે કે
જેટલા
RIP કે OM SHANTI ના
સંદેશા ફેસબુક અને
વોટ્સ એપ પર આવે છે
એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ
ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે
આને આમ કીધું તેમ કીધું
આને આમ ન કરવું જોઈએ
એજ ચાલતું હોય.

સોશિયલ મીડિયાના આવ્યા
પછીનો સૌથી મોટો અને
વરવો બદલાવ છે આપણા સમાજનો..!

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે
ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?

પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા
એમણે નથી લાંઘી
પણ એનાથી
નાની ઉમરના છોકરાઓનું શું?

નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને
જવું જોઈએ.

“ભણતર”, “ક્લાસ” કે ”
હવે હું તો આવ્યો છું
પછી એની ક્યા જરૂર છે..?

આ બધા બહાના ખોટા છે…

જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે
એ દિવસ પછી સમાજને
તૂટતો કોઈ નહીં બચાવી શકે..

લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા
હવે નનામી ઊંચકવા પણ
ભાડે માણસો લાવશો.?

તમે પણ વિચારજો ૧૮ વર્ષથી
મોટા દીકરા દીકરીને
લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

નથી લઇ જઈને ભૂલ તો
નથી કરતાને..?

લેખક ને અભિનંદન

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY