નેત્રંગ:
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના પણસોલી ગામની વિધવા માતાની સગીર પુત્રી નાનપણથી તેના કુટુંબીક મામા કોંઢ રહે ત્યાં રહેતી હતી. કોંઢ ગામનો યુવાન અવારનવાર તેને મળતા બંનેને પ્રેમસંબંધ બંધાયો હતો. સગીરાની બહેન પઠાર ગામે રહેતી હોય તેને ખેતીકામમાં મદદની જરૂરિયાત હતી એટલે નાની બહેનને બોલાવી હતી. જે દિવસે આવી તે રાત્રે દોઢેક વાગ્યાના સમયે સગીરાએ તેની બહેનને પેશાબ કરવા જાવ છું એમ કહી બહાર નીકળતા તેને કોંઢ ગામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. શોધખોળ કરતા નહીં મળી આવતા આખરે નેત્રંગ પોલીસ સ્ટેશનની વાટ પકડી સગીરાની માતા સુમનબેન સુરેશભાઈ વસાવાએ કોંઢ ગામનો યુવાન સુનીલ રણજીત વસાવા વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવતા તેની તપાસ સીપીઆઈ ઝેડ.એન.ઘાસુરા કરી રહયા છે. સુમનબેન તેના પતિના મૃત્યુ બાદ વિધવા જીવન પણસોલી ગામે ખેત મજૂરી કરી જીવતા હતા તેને બે પુત્રીઓ હતી જેમાં મોટી પુત્રી હીનાને અલ્પેશ વસાવા સાથે પઠાર ગામે પરણાવી હતી. જ્યારે નાની પુત્રીને બાળપણથી તેના ધર્મના ભાઈ કોંઢ ગામે રહેતા ચુનીલાલ બાબુભાઇ વસાવાને ત્યાં રાખી હતી જે ત્યાં ભણીગણીને મોટી થઈ હતી. તે અરસામાં તેને ગામનાજ સુનીલ રણજીત વસાવા સાથે પ્રણયફાગ ખીલતા એકાદ વર્ષ અગાવ પણ આ સગીરાને લઈ ભગાડી ગયો હતો. સગીરાને કોંઢ તેના મામાના ઘરેથી તેની મોટી બહેને પઠાર ગામે ખેતીનું કામ હોવાથી બોલાવી હતી. દિવસે તેને તેના મામા મૂકી ગયા અને રાત્રે દોઢ વાગ્યે સુનીલ વસાવા પઠાર આવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પરીવારના લોકોએ શોધખોળ કરતા મળી નહિ આવતા અગાવ ભગાડી ગયેલ સુનીલના ઘરે તપાસ કરતા તે નહિ મળી આવતા તેની પર અગાવ આ સગીરાને એક વર્ષ પહેલા ભગાડી ગયેલ ત્યારે ફરિયાદ નહિ કરતા સમાધાન થયેલ હોવાથી શંકાના આધારે તેના નામજોગ કાયદેસર ફરિયાદ કરવામાં આવી હતી બનાવના પગલે પોલીસ હાલતો સગીરાને ભગાડી ગયેલ કોંઢ ગામના સુનીલ વસાવાની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"